ઊર્ધ્વં ગચ્છન્તિ સત્ત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ ।
જઘન્યગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાઃ ॥ ૧૮॥
ઊર્ધ્વમ્—ઉપર; ગચ્છન્તિ—જાય છે; સત્ત્વ-સ્થા:—જે લોકો સત્ત્વગુણમાં સ્થિત છે; મધ્યે—વચ્ચે; તિષ્ઠન્તિ—રહે છે; રાજસા:—રજોગુણી; જધન્ય—ઘૃણાસ્પદ; ગુણ—ગુણ; વૃત્તિ-સ્થા:—વૃત્તિમાં લીન; અધ:—નીચે; ગચ્છન્તિ—જાય છે; તામસા:—તમોગુણી.
BG 14.18: સત્ત્વગુણી ઊર્ધ્વ-ગમન કરે છે, રજોગુણી મધ્યમાં રહે છે અને જધન્ય ગુણ-વૃત્તિ ધરાવતા લોકોનું અધ:પતન થાય છે; જયારે જે ગુણાતીત હોય છે, તે મને પ્રાપ્ત કરે છે.
ઊર્ધ્વં ગચ્છન્તિ સત્ત્વસ્થા મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ ।
જઘન્યગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તામસાઃ ॥ ૧૮॥
સત્ત્વગુણી ઊર્ધ્વ-ગમન કરે છે, રજોગુણી મધ્યમાં રહે છે અને જધન્ય ગુણ-વૃત્તિ ધરાવતા લોકોનું અધ:પતન થાય છે; જયારે જે ગુણાતીત હોય …
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
શ્રીકૃષ્ણ સમજાવે છે કે જીવાત્માનો પુનર્જન્મ તેના વ્યક્તિત્ત્વમાં પ્રદર્શિત ગુણોની પ્રધાનતા સાથે જોડાયેલો છે. આ જન્મમાં તેનો પડાવ પૂર્ણ કરીને જીવાત્મા તેના ગુણને અનુરૂપ સ્થાને પહોંચે છે. આ વિષયની તુલના વિદ્યાલય (શાળા)નું શિક્ષણ પૂર્ણ કરીને મહાવિદ્યાલય(કોલેજ)માં શિક્ષણ માટે અરજી કરતા વિદ્યાર્થીઓ સાથે કરી શકાય. વિદ્યાલયના સ્તરે ઉચ્ચ યોગ્યતા પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓને ઉત્તમ મહા-વિદ્યાલયમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે, જયારે જેના પ્રાપ્તાંક અને અન્ય યોગ્યતાઓ ઓછી હોય છે, તેઓને નિમ્ન સ્તરના મહા-વિદ્યાલયમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે.
ભાગવતમ્ વર્ણન કરે છે:
સત્ત્વે પ્રલીનાઃ સ્વર્યાન્તિ નરલોકં રજોલયાઃ
તમોલયાસ્તુ નિરયં યાન્તિ મામેવ નિર્ગુણાઃ (૧૧.૨૫.૨૨)
“સત્ત્વગુણી ઉચ્ચ સ્વર્ગીય લોકમાં જાય છે; રજોગુણી પૃથ્વીલોકમાં પાછા આવે છે; અને તમોગુણી નિમ્નતર લોકમાં જાય છે.